તો નક્કી હશે (ગઝલ) ~ પરશુરામ ચૌહાણ

કંઈ ને કંઈ હર કોઈને બંધાણ તો નક્કી હશે,
સહેજ પણ અંદર કશે ભંગાણ તો નક્કી હશે.

ફક્ત મોજાઓ જ આકર્ષાય ના અમથા કદી,
ચંદ્રને પણ આ તરફ ખેંચાણ તો નક્કી હશે.

ફક્ત એવી ધારણાથી આ સફર લાંબી બની,
કે હજી આગળ કશે રોકાણ તો નક્કી હશે.

ઓશિયાળી લાગણીના વહાણ મોઝારે હવે,
કો’ક કાંઠે ક્યાંક એ સંજાણ તો નક્કી હશે

જર્જરિત ખંડેર જેવો હું ધરાશાયી થયો,
તું મને ઢંઢોળ, મુજમાં પ્રાણ તો નક્કી હશે.

~ પરશુરામ ચૌહાણ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. ખૂબ સુંદર ગઝલ પરશુરામ👌સંજાણ વાળો શેર મસ્ત