ગુરુ: જ્ઞાનની પાઠશાળા – અધ્યાત્મનો ઉર્જા સ્ત્રોત ~ લેખકઃ અનંત પટવા (મુંબઈ) ~ 9820258978
લેખ-૪
નવ ગ્રહોમાં ગુરુનું સવિશેષ મહત્ત્વ છે. કુંડળીમાં હજારો દોષ હોય છતાં પણ જો ગુરુનું બળાબળ મજબૂત હોય, તો એ બધાં દોષોની અસર નાબૂદ કરી નાખે છે.
ગુરુને જ્ઞાનનો ઘૂઘવતો મહાસાગર કહેવામાં આવે છે.

એની કૃપાથી અજ્ઞાની પણ જ્ઞાની બની જાય. છતાં ગુરુથી બનતા કેટલાક એવા દોષો પણ છે જે સફળતાની ટોચ પર પહોંચેલી વ્યક્તિને અંધકારની ઊંડી ખાઈમાં ધકેલી દે.
જ્ઞાન એ વિશ્વ તરફ ઊઘડતો એક એવો રસ્તો છે, જે તમને અધ્યાત્મ કે વ્યવહારિક જગતમાં સફળતાનાં સોપાનો ચઢાવે છે. અનાદિ કાળથી ગુરુનો મહિમા અદ્ભુત છે. ગુરુની શક્તિ અગાધ છે, અસીમ છે, અચિંત્ય છે.

હવે વાત કરીએ આપણો જે ઉદ્દેશ છે – ખરાબ યોગને કારણે ગ્રહોની થતી નકારાત્મક અસરમાંથી બહાર નીકળવાનો અને એને હકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરવાનો.
નભોમંડળમાં ઊંચું સ્થાન ધરાવતો ગુરુ ગ્રહ કર્ક રાશિમાં ઉચ્ચનો થાય છે. મીન અને ધન રાશિમાં પોતાના ઘરનો થાય છે. મકર રાશિમાં નીચનો થાય છે. ગુરુ જ્ઞાન, શિક્ષણ, સંતાન, મોટા ભાઈ, ધર્મ, ધન, દાન, પુણ્ય અને ભાગ્યનો કારક માનવામાં આવે છે.
ગુરુ જ્યારે મકર રાશિમાં હોય ત્યારે ગુરુ – રાહુની યુતિ ચંડાળ યોગ સર્જે છે.
આ પ્રકારના યોગો માણસને આખી જિંદગી સંઘર્ષમાં રાખે. જિંદગીને ઉપરતળે કરી નાખતા ઝંઝાવાતો સર્જી દે. જ્ઞાનનો અક્ષર જીવનમાં કોઈ કામ આવતો નથી એવી અનુભૂતિ કરાવે. માણસને નીચ તેમજ પાશવી કાર્યોમાં આનંદ આવે. વડીલોનો સહવાસ ન ગમે. વાણીમાં કર્કશતા આવી જાય અને બિભત્સ વાતો સિવાય બીજું કંઈ નીકળે નહીં. નરસા યોગોને લીધે આવું થાય. સંતાનસુખમાં ઉણપ વર્તાય. લગ્નજીવનમાં અવરોધ સર્જાય. નાણાંકીય સ્થિતિ હંમેશાં અધઃપતન તરફની દિશા બતાવે.
ખરાબ યોગ માણસને શાંતિથી ઝંપવા દેતો નથી. જ્ઞાન મેળવવાની પ્રબળ ઇચ્છા હોવા છતાં પણ સંજોગોવસાત્ અજ્ઞાની બનીને રહી જવું પડે. આવા સંજોગોમાં ચોક્કસપણે ગુરુ મહારાજની ભક્તિ રણમાં મીઠી વીરડીની જેમ કામ કરે છે.
ગુરુ પોતાનાથી પાંચમી, સાતમી અને નવમી દૃષ્ટિએ જુએ છે. ગુરુની દૃષ્ટિ હંમેશાં અમૃત સમાન હોય છે. શાપિતને પાવન કરે અને હળાહળ વિષને પણ અમૃત બનાવે.
નાના ઉપાયો ચોક્કસપણે પહાડ જેવા સંકટમાંથી બચાવીને ગુરુનું શુભ ફળ આપવાની શરૂઆત કરે છે.
હવે વાત કરીએ આવા ઉર્જાવાન ઉપાયોની.
દર ગુરુવારે જાતકે ગુરુવારનું વ્રત કરવું અને શક્તિ અનુસાર ચણાની દાળ, ગોળ, રોટલી, પીળાં કેળાનું દાન કરવું. ગુરુવારે શક્ય હોય તો પીળી વાનગી જ ભોજનમાં લેવી.
દરરોજ વિષ્ણુસહસ્ત્રનામ અથવા યમુનાષ્ટકનો પાઠ કરવો.
દરરોજ ઘરમાં વડીલો, માતાપિતાના આશીર્વાદ લેવા. દરરોજ પાણીમાં થોડી હળદર નાખીને નહાવું.
દર પખવાડિયાના પ્રથમ ગુરુવારે હળદરનો ગાંઠિયો પીળા કપડામાં નાડાછડીથી બાંધીને તમારા તકિયા નીચે મૂકી દેવો. પંદર દિવસે તેને પાણીમાં પ્રવાહિત કરી દેવો અને એની જગ્યાએ હળદરનો નવો ગાંઠિયો મૂકવો. આ નાનો ઉપાય કારગત નીવડશે.
રોજ પીળા રૂમાલનો ઉપયોગ કરવો. સૂવાની અને અને ઓઢવાની ચાદર પણ બને ત્યાં સુધી પીળા રંગની રાખવી. રોજ હળદરનું અથવા કેસરવાળું દૂધ પીવું.
આવા નાના ઉપાયો ચોક્કસ ગુરુની ઉર્જા વધારવામાં મદદરૂપ થશે.
જો જરૂર લાગે તો ગુરુજનની સલાહ અનુસાર રિયલ પોખરાજ – ગુરુનું નંગ ધારણ કરવું. તર્જની આંગળીમાં સોનામાં ધારણ કરવું.
ગુરુવારે ગૌમાતાની સેવા કરવી. દરરોજ ગાયના ઘીનો દીવો કરવો. ગુરુ મહારાજની છબી સામે રાખવી અને ગુરુજનની આજ્ઞામાં રહેવું. શરાબ અને પરસ્ત્રીગમનથી દૂર રહેવું. માંસાહાર ત્યજવો અને શાકાહારી બનવું.
આવા નાના ઉપાયોના માધ્યમથી ગુરુની ઉર્જામાં વધારો થશે અને જીવનની ચડતીપડતીમાં પોઝિટિવ ઓરાનો અનુભવ થશે.
અંતે એક જ વસ્તુ લખીશ. ગુરુ જીવન છે. ગુરુકૃપા માટે લખવું એ સૂર્યને દીવો બતાવવા જેવું છે. ગુરુ માટે કહી શકાયઃ
મા વિનો સૂનો સંસાર
ગોળ વિના સૂનો કંસાર
ગુરુ વિના સર્વત્ર અંધકાર
વાચકો ગુરુકૃપાના નાના ઉપાયોથી આપની મોટી આપત્તિ ટળે એવી ઈશ્વર પાસે અરજી મૂકી મારી કલમને વિરામ આપું છું.
~ લેખકઃ અનંત પટવા (મુંબઈ)
~ 9820258978
Always knowledgeable and insightful. thank you for your blessings
I had his personal consultation recently and was amazed with the accuracy of the predictions. Very knowledgeable person.
Great analysis and great time with time.
અનંતભાઈ, એક નમ્ર વિનંતી. આટલી સરસ માહિતી સાથે કોઈ એકાદી કુંડળીમાં આવા યોગ થયા હોય તો એની ચર્ચા થઈ શકે ખરી? દા.ખ. નામી કલાકાર અથવા બિઝનેસમેન કે કોઈ બીજા ક્ષેત્રના જેમ કે, રાજકરણી, વગેરે. અને ઓફ કોર્સ, નામ જાહેર કર્યા વિના જ. આ તો એક સૂચન છે. થેંક્યુ ભાઈ.
Anant ji as always loved your articles, Keep it up good work..
Anantbhai’s predictions are very accurate & his guidance has always helped us to keep our lives healthy & bring prosperity & opportunities.
Another great article.. I hope they keep on publishing similar content. Great work.